મોરબી : નેસડા ગામના પ્રૌઢ ઉપર અંગત અદાવત મામલે હુમલો

- text


ત્રણ શખ્સો સામે માર માર્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ

મોરબી : મોરબી નજીક અંગત અદાવત મામલે આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.તાલુકા પોલીસે આધેડની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ખીમજીભાઇ પ્રેમજીભાઇ માકાસણા જાતે પટેલ ઉવ ૪૮ રહે.નેસડા (ખાનપર) તા.ટંકારા વાળાએ આરોપીઓ ગીરીશભાઇ માવજીભાઇ રહે.નેસડા (ખાનપર) તા.ટંકારા ,હકાભાઇ છગનભાઇ જારીયા રહે.ગજડી , ભનાભાઇ નામનો વ્યકિત સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ,ગઈકાલ તા:૧૧ ના રોજ રાજપરથી ચાચાપર ગામ વચ્ચે આવેલ રાધે રેસીડન્સ સામેના રોડ ઉપર બનેલા આ બનાવમાં આરોપીઓએ અગાઉની બોલાચાલીનો ખાર રાખી આ ફરિયાદીને ઢીકા પાટુનો તેમજ ચેન વતી માર મારી વાસા તથા સાથળમાં સામાન્ય ઇજાઓ કરી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી.તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text