મોરબીના જાંબુડિયામાં સ્ત્રીની હત્યાનો ભેદ ખુલ્યો : આડાસંબંધના કારણે દિયરે જ ભાભીનું કાસળ કાઢ્યું

- text


આડાસંબંધ હોવાથી ભાભી અન્ય મહિલા સાથે લગ્ન કરવા દેતી ન હોય ઉશ્કેરાય જઈને દિયરે ભાભીના માથામા પથ્થરના ઘા મારીને હત્યા કરી નાખી હતી

મોરબી : મોરબીના જાંબુડિયા ગામે થયેલ મહિલાની હત્યાનો ભેદ એલસીબીએ ઉકેલીને હત્યા કરનાર દિયરને પકડી પાડ્યો છે. મૃતક ભાભી અને હત્યારા દિયરને આડાસંબંધ હોવાથી ભાભી દિયરને અન્ય જગ્યાએ પરણવા દેતી ન હોય જેથી દિયરે ભાભીના માથા ઉપર પથ્થરના ઘા ઝીંકીને તેનું કાસળ કાઢી નાખ્યું હોવાનું પૂછપરછમા ખુલ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે ગત તા. 31 ઓગષ્ટના રોજ બાવળની ઝાડીમાંથી રીના ઉર્ફે ટીના રામપ્રસાદ જમાદાર રહે. હાલ શાપર( વેરાવળ), મૂળ મધ્યપ્રદેશવાળીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે મોરબી એલસીબીએ તપાસ ચલાવીને એક ટીમને વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ પણ મોકલી હતી. બાદમાં શકદાર તરીકે વિષ્ણુપ્રસાદ કરનસિંગ રહે. શાપર( વેરાવળ) મૂળ મધ્યપ્રદેશવાળાને પકડી પાડી તેની પૂછપરછ આદરી હતી.

- text

પૂછપરછ દરમિયાન શકદાર વિષ્ણુપ્રસાદે હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. વધુમાં તેને કેફિયત આપી હતી કે મૃતક મહિલા તેની ભાભી થતી હોય તેની સાથે આડા સંબંધ હતા. જેથી તેની ભાભી તેના લગ્ન કોઈ અન્ય મહિલા સાથે થવા દેતી ન હતી. જેથી કંટાળી જઈને માથામા પથ્થરના ઘા ઝીંકીને તેની હત્યા નિપજાવી હતી. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text