મોરબી : ચોટીલામાં યોજાનાર કોળી સમાજના મહા સંમેલનના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ

- text


મોરબી : આગામી બીજી ફેબ્રુઆરીના રોજ ચોટીલા ખાતે અખિલ ભારતીય કોળી સમાજના મહા અધિવેશન તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો સન્માન સમારંભ યોજાનાર છે. આ આયોજનના સંદર્ભે તા. ૩૦ જાન્યુઆરીના રોજ ચોટીલા સર્કિટહાઉસ ખાતે કોળી સમાજના આગેવાનો, અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓની મિટિંગ યોજાઈ હતી.

જેમાં મોરબી જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશભાઇ શિરોહિયા, માળીયા તાલુકાના કોળી સમાજના પ્રમુખ ચંદુભાઈ જગજીવનભાઈ સિચણદા, વાંકાનેરના જિજ્ઞાબેન તેમજ કોળી સમાજના સાંસદ દેવજીભાઈ ફતેહપરા, રાજેશભાઇ ચુડાસમા, શંકરલાલ વેગડ, અન્ય ધારાસભ્યો સહિત અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહ્યા હતા. આયોજિત થનારા મહા સંમેલન અંગે ચર્ચા વિચારણા કરી આખરી રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી.તા.૨જી ફેબ્રુઆરીના રોજ બપોરે બે કલાકે ચોટીલા સાયલા હાઇવે પર આયોજિત મહા સંમેલનમાં પહોંચવા માટે મોરબી શહેરમાં સો ઓરડી વિસ્તાર ખાતેથી નિઃશુલ્ક વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અગાઉની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતુ.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

 

- text