મોરબી : ગ્રીન ચોક સાંકળી શેરી મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં અન્નકૂટ દર્શન યોજાયા

- text


મોરબી : મોરબીમાં ગ્રીન ચોક સાંકળી શેરી મિત્ર મંડળ આયોજિત ગણેશ મહોત્સવમાં આજે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.મોરબીમાં ગ્રીન ચોક સાંકળી શેરી મિત્ર મંડળ દ્વારા પાંચ દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ડો. મનીષભાઈ સોનીના ઘરે બગીચામાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી છે. અહી દરરોજ ભગવાન ગણેશની ભાવભેર પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાઈને ધર્મલાભ લે છે. જેમાં આજે ચોથા દિવસે આ ગણેશ મહોત્સવમાં અન્નકૂટના દર્શન યોજાયા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ ઉમટી પડીને અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.

- text


.

- text