મોરબીની રવાપર કેનાલ ચોકડીએ છેલ્લા ૧ કલાકથી ટ્રાફિકજામ

- text


ગણેશ મહોત્સવ અને આજે ઠેર ઠેર રાંદલના કારણે ટ્રાફિક વધુ હોવાથી પોલીસની ગેરહાજરીના કારણે ટ્રાફિકજામ સર્જાયો

મોરબી : મોરબીની રવાપર ચોકડીએ છેલ્લા ૧ કલાકથી ટ્રાફિક જામ સર્જાયું છે. જેના કારણે વાહનોના થપ્પા લાગી ગયા છે. ૧ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ ટ્રાફિક હળવો થયો નથી. શહેરમાં ગણેશ મહોત્સવ અને આજે ઠેર ઠેર રાંદલના કારણે ટ્રાફિક વધુ હોવાથી પોલીસની ગેરહાજરીના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.

- text

મોરબીની રવાપર ચોકડીએ આજે રાત્રે ૯:૩૦ વાગ્યાનો ટ્રાફિક જામ સર્જાયો છે. આ લખાય છે ત્યાં સુધી ટ્રાફિક જામ જેમનો તેમ જ છે. આજે ગણેશ મહોત્સવ અને ઠેર ઠેર રાંદલ ઉત્સવ હોવાના કારણે તેમજ રવીવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો બહાર ઉમટી પડ્યા છે. જેના કારણે અહીં ટ્રાફિક જામ સર્જાયો છે. છેલ્લા ૧ કલાકથી અહીં વાહનોમાં થપ્પા લાગ્યા છે. તેમ છતાં આ ટ્રાફિક જામને ક્લિયર કરાવવા માટે પોલીસ અહીં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

- text