- text
સાંજે ૪.૧૫ વાગ્યે બનાવ બન્યા બાદ અનેક ફરિયાદ કરવા છતાં વિજતંત્ર ન ડોકાતા રોષ
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આઈટીઆઈ ની બાજુમાં આજે સાંજે ૪.૧૫ વાગ્યાના સુમારે જીવતો વિજવાયર તૂટી પડવા છતાં વિજતંત્ર દ્વારા રીપેરીંગ તો ઠીક વિજપ્રવાહ પણ બંધ કરવામાં ન આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મહેન્દ્રનગર આઇટીઆઈની બાજુમા ૪.૧૫ કલાકે જીવતો વિજ વાયર પડી ગયેલ જોવા મળતા સામાજીક કાર્યકર ધર્મેન્દ્રસિંહ રાજપુતે સતત ૩ કલાકથી ફોન કરવા છતા પીજીવીસીઅેલ તરફથી કોઇ કર્મચારી આવેલ ન હતા અને લાઈન પણ બંધ કરેલ ન હતી.
- text
વધુમાં ૪.૧૫ વાગ્યે તાર તુટેવા છતાં પણ કલાકો સુધી કોઈ અધિકારી ઘટના સ્થળે ન ફરકતા આજુ બાજુના રહેવાસીઓ દ્વારા રોડ પર પથ્થરની આડશ મૂકી લોકોની જિંદગી ન જોખમાય તે માટે સતત ઘટના સ્થળે હાજર રહ્યા હતા, આ મામલે સામાજિક કાર્યકર અને શક્તિ યુવા ગ્રુપના કાર્યકરો તથા ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા ઉચકક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી.
- text