વાંકાનેરમાં શિવસેના દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ

- text


વાંકાનેર : શિવસેના વાંકાનેર દ્વારા સભ્ય નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ધાર્મિક તેમજ સામાજિક કાર્યો અને લોકોની સમસ્યા માટે હરહંમેશ કામ કરવા માટે શિવસેના લોકોને આવકારે છે.

સ્વ. બાળા સાહેબ ઠાકરેના આશીર્વાદથી શિવસેના દ્વારા વાંકાનેરમાં સમાજ ઉપયોગી સેવા કાર્ય, ધાર્મિક કાર્યક્રમો ની સાથે સાથે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા જાગૃત બની લડત આપવમાં આવી રહી છે, સમાજ તેમજ દેશ પ્રત્યે લાગણી ધરાવતા વાંકાનેર શહેર અને તાલુકાના ભાઈઓ, બહેનો અને વડીલોને શીવસેના આવકારે છે. પ્રજાજનોના પ્રશ્ન હલ કરી સાચી સમાજ સેવા કરવા શિવસેનાના સભ્ય બનવા ૯૬૦૧૦ ૩૫૦૦૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text