વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

- text


પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે

વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે વાંકાનેરમાં આવતીકાલે રવિવારે ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગ્રણીઓ ઉપસ્થિત રહીને આગામી સમયના કાર્યક્રમો ઘડી કાઢશે.

આ મામલે ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોનુ આદોલન ચાલી રહ્યું છે ત્યારે આ આદોલન અનુસંધાને વાંકાનેર રાજપુત સમાજ દ્વારા આગામી ચૂંટણીમાં રણનીતિ નક્કી કરવા માટે સમગ્ર રાજપુત સમાજનુ એક સંમેલન વાંકાનેર મુકામે કુળદેવી ટ્રસ્ટ ના મેદાન દિગવીજયનગર પેડક વાંકાનેર ખાતે તા. ૨૮ને રવીવારે સાંજના ૫-૦૦ કલાકે એક બોલાવવામા આવેલ છે.

- text

આ સંમેલન મા પાઘડી પહેરવી ફરજિયાત છે. વધુમાં વધુ યુવાનોને આ સંમેલનમાં હાજરી આપવા વજુભા સજુભા ઝાલા- પ્રમુખ રાજપુત સમાજ વાંકાનેર, રાજેન્દ્રસિંહ જાડેજા – પ્રમુખ યુવા સંઘ વાંકાનેર, ધર્મેન્દ્રસિહ. બી. ઝાલા – પ્રમુખ વાંકાનેર શહેર કરણી સેના, પ્રદ્યુમ્નસિંહ ઝાલા -પ્રમુખ વાંકાનેર તાલુકા કરણી સેનાની યાદીમાં જણાવાયુ છે.

- text