મોરબીમાં પરશુરામ જયંતીની ઉજવણી : ભવ્ય શોભાયાત્રા યોજાઈ

- text


પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું

મોરબી : 10મેને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી નિમિત્તે મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવિભાતી. ઉજવણી અંતર્ગત આજે પશુરામ ભાગવાની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી બાદમાં પરશુરામ ધામ ખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ ભગવાનના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે ગુરુવારે રાત્રે 9 કલાકે નવલખી રોડ સ્થિતિ પરશુરામ ધામ ખાતે બ્રહ્મપરીવારો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે તારીખ 10મે 2024ના રોજ મોરબીના ગાયત્રી મંદિર વાઘપરા ખાતેથી શોભાયાત્રા બપોરના 4.00 કલાકે શરૂ થઈ હતી અને ધામધૂમથી ઢોલ નગરા અને ડીજેનાં તાલે ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો પર ફરીને નવલખી સ્થિત પરશુરામ ધામ ખાતે પોહચશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડ્યા હતા. શોભાયાત્રા બાદ પરશુરામધામ ખાતે ભગવાન શ્રી પરશુરામ દાદાને છપ્પન ભોગ ધરાવી મહા આરતી કરી પ્રસાદ લઈ ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text