12 મેના રોજ નવરંગ નેચરલ ક્લબ દ્વારા મોરબીમાં રાહત દરે વસ્તુઓનું વેચાણ થશે

- text


મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તારીખ 10 12 મે ને રવિવારે સવારે 8 થી 1 દરમિયાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે વિવિધ વસ્તુઓનું રાહત ભાવે વેચાણ કરવામાં આવશે.

રાહતભાવના વેચાણ કેન્દ્રમાં દરેક જાતના ફૂલ-છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથથી ખાંડેલા પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા ઔષધ ચૂર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથથી બનાવેલા તાવડી, પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુંથેલ ચકલીના માળા રાહત ભાવે મળશે. ફૂલ-છોડના કુંડા, ગાય આધારિત દેશી ખાતર, જાનકી ઓઈલ મિલ હરીપર ધાણીથી પીલેલ કાળા-સફેદ તલનું તેલ, શુદ્ધ મગફળીનું તેલ રાહત ભાવે મળશે. વધુ માહિતી માટે પ્રમુખ વી. ડી. બાલા- 9427563898 અથવા લવજીભાઈ પ્રજાપતિ મોરબી- 9925369465નો સંપર્ક કરવા જણાવ્યું છે. આ સંસ્થા દ્વારા દર મહિનાના બીજા રવિવારે ખેડૂત હાટનું પણ આયોજન કરાય છે.

- text

- text