મંગળવારે મોરબીમાં એક શામ સંસ્કૃતિ કે નામ

- text


વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભોજનરથ હેતુ માટે કાર્યક્રમનું આયોજન

મોરબી : મોરબીના વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભોજન રથ સુવિધા માટે મંગળવારે એક શામ સંસ્કૃતિ કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

મોરબી શહેરમાં વિવિધ સેવા પ્રદાન કરતા વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભોજન રથ સેવા માટે મંગળવારે સાંજે ૪ કલાકે મોરબીના ટાઉનહોલ ખાતે એક શામ સંસ્કૃતિ કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

- text

આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ એમ.એસ.બીટા, લોકસાહિતકાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા યોગેશભાઈ ગઢવી, કેળવણીકાર અને લેખક ચંદુભાઈ હૂંબલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહી વક્તવ્ય આપશે.

જેથી માનવસેવાના આ અભિયાનમાં સહભાગી બની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ વિજયભાઈ લોખીલની યાદીમાં જણાવાયુ છે.

- text