ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

- text


મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે

મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરવાનો છે. જે મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે. આ વેળાએ ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે.

કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે આગામી તા. 4ને શનિવારના રોજ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ શનાળા શક્તિ માતાજીના મંદિર સુધી મહારેલી જશે. આ મહારેલીમાં મોરબી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરમાં રહેતા ક્ષત્રિય સમાજના ભાઈઓ, વડીલો અને આગેવાનોને પોતાના વાહન સાથે જોડાવવા આમંત્રણ છે સાથે અન્ય સમાજના ભાઈઓને જોડાવવું હોઈ તો એમને પણ આમંત્રણ છે.

- text

મહારાણા પ્રતાપજી સર્કલથી બપોરે 3:30 કલાકે ધર્મરથનું પ્રસ્થાન થશે. આ વેળાએ બધા ભાઈઓ સાફા, પાઘડી અથવા કેપ અને રજવાડી પોશાક સાથે જોડાશે.

- text