- text
મોરબી : ખીરસરા નજીક નવલખી રોડ ઉપર મોટા દહીંસરા ગામના સર્વે નંબરની જમીન ઉપર જૂનો પાણીનો જે નિકાલ હતો. તેના ઉપર માટી નાખી દેવામાં આવી છે. પાણી નિકાલની આ જગ્યા બંધ થઈ જતા ગામમાં વરસાદી પાણીનો ભરાવો થઈ શકે તેમ છે. તેવી ખીરસરા અને મોટા દહીંસરા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
- text