દેવ સોલ્ટ દ્વારા પદયાત્રિકો માટે સેવા યજ્ઞ

- text


માળીયા:દરવર્ષની જેમ આ વર્ષે પણ અશ્વિન નવરાત્રીને અનુલક્ષીને કચ્છ ના કુળદેવી માતા આશાપુરાએ જતા પદયાત્રિકો માટે દેવ સોલ્ટ પરિવાર દ્વારા તા.૧૦ સપ્ટેમ્બરથી સેવાયજ્ઞ શરૂ કરાયો છે.
આ સેવા કેમ્પમાં માતાના મઢ જતા પદયાત્રિકો માટે ઠંડુ પાણી,ચા-નાસ્તો,જમવાની વ્યવસ્થા,મેડિકલ તેમજ મસાજની સુવિધા,મોબાઈલ ચારજિંગ સુવિધા,આપતકાલીન મેડિકલ,એમ્બ્યુલન્સની સુવિધા તેમજ યાત્રિકોને આરામ માટે દેવ સોલ્ટના પ્રાંગણમાં તેમજ કેમ્પમાં વિશેષ સુવિધા કરવામાં આવી છે.

- text

પદયાત્રિકો માટેના આ સેવા કેમ્પમાં દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ.ઝાલા,એમ.ડી.હિરેન્દ્રસિંહ ઝાલા,કંપનીના મેનેજર એ.કે.કોટેચા, ઉપતંત્ દયારામભાઈ પટેલ,દિલીપસિંહ જાડેજા,અશ્વિનભાઈ માંકડીયા,ધમભા જાડેજા અને દીનેશભાઇ પટેલ સહિતના લોકો સેવા આપી રહ્યા છે.

- text