- text
હળવદ : હળવદના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રામાં દરબાર અને ભરવાડ વચ્ચે થયેલી માથાકૂટના પ્રત્યાઘાત આજે હલવદમાં પડ્યા હતા. જેમાં હળવદ નજીક હાઈવે પર માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા ગોપાલધામની જગ્યા પર દરબાર અને ભરવાડના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભરવાડ જૂથના એકનું મુત્યુ થયાનું અને 5થી વધુ લોકોને ઇજા પોહચી હોવાનું તેમેજ ઇજાગ્રસ્તોમાં ગંભીર રીતે ઘવાયેલા 2 ને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ અથડામણમાં 15થી વધુ વાહનોમાં તોડફોડ અને આગજની કરવામાં આવી છે. ઘટનાના પગલે મોરબી જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો છે.જોકે પોલીસ દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી
- text
- text