નરેન્દ્ર મોદીના રાજકોટના કાર્યક્રમમાં મોરબી પાસના આગેવાનોની આત્મવિલોપનની ચીમકી

- text


પાસના આગેવાનોની ચીમકીના પગલે તંત્રમાં દોડધામ

મોરબી જીલ્લા પાસની ટીમ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામતની માંગણી કરી રહ્યા છે છતાં આ મામલે કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી તા. ૨૯ ના રોજ દેશના પીએમ નરેન્દ્ર મોદી જયારે રાજકોટના પ્રવાસે છે અને પીએમ મોદી રાત્રીના ૯ કલાકે રાજકોટમાં રોડ શો કરવાના છે જે સમય દરમિયાન પાસની ટીમના મનોજ કાલરીયા, જયેશભાઈ દલસાણીયા, જીતુભાઈ સાદરીયા અને રાજુભાઈ ડોડીયા સહિતની પાસની ટીમ આત્મવિલોપન કરશે. મોરબી પાસના આગેવાનો દ્વારા મોદીના કાર્યક્રમ દરમિયાન આત્મવિલોપનની ચીમકીથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જોકે આત્મવિલોપનની ચીમકી આપનાર પાસની ટીમને પોલીસ તંત્ર દ્વારા મોદીના કાર્યક્રમ પેહલા જ અટક કરી લેવામાં આવે તેવી પુરી શક્યતા છે. જોકે હાલ તો પાસ આગેવાનોની આ ચીમકીના પગલે ભારે ચકચાર જાગી છે.

- text

- text