વિ.હિ.પ.-બજરંગ દળ દ્વારા અયોધ્યાના રામ મંદિર નિર્માણ માટે મોરબીમાંથી માટી અને જળ એકત્ર કરાયા

- text


મોરબી : ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ, મોરબી જિલ્લા અને પ્રખંડ દ્વારા અયોધ્યાના રામ મંદિર નિર્માણ માટે પવિત્ર માટી અને જળ એકત્ર કરવામાં આવ્યુ હતું.

અયોધ્યામાં ભગવાન રામલલ્લાના ભવ્ય મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી પવિત્ર ભૂમિની માટી એકત્રિત કરી અને અયોધ્યામાં સમગ્ર દેશની પવિત્ર માટી દ્વારા પાયાનુ મુહુર્ત કરવામાં આવનાર છે. ગઈકાલે મોરબીમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિ માતાજી મંદિર શકત સનાળા, કબીર આશ્રમ, ઉમિયા આશ્રમ, શંકર આશ્રમ ખાતેથી પવિત્ર માટી અને જળ એકત્રિત કરવામાં આવ્યા હતા. જે અયોધ્યા ખાતે મોકલવામાં આવશે. માટી અને જળની વિધીવત રીતે પૂજા કરી સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી રામનારાયણભાઈ દવે, વીએચપી જિલ્લા મંત્રી હસુભાઈ ગઢવી, શહેર મંત્રી કમલભાઈ દવે, શહેર અઘ્યક્ષ પરેશભાઈ તન્ના, શહેર ઉપપ્રમુખ પંકજભાઈ બોપાલિયા, બજરંગદળ શહેર ઉપપ્રમુખ ભવિકભાઈ ભટ્ટ અને જીતુભાઈ ચાવડા જોડાયા હતા.

- text

- text