- text
બાગાયત નિયામકની કચેરી દ્વારા આઇ ખેડૂત પોર્ટલ બે માસ સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય
મોરબી : ગાંધીનગર ખાતે આવેલ બાગાયત નિયામકની કચેરી દ્વારા ખેડૂતો 2020-’21 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ કરી શકે તેવી જાહેરાત કરવામાં આવી છે.
- text
બાગાયત નિયામક દ્વારા આઇ ખેડૂત પોર્ટલ વર્ષ 2020-’21માં બે માસ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી, 2020-’21 માટે આઇ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓના વિવિધ ઘટકો માટે તા. 01/03/2020થી 30/04/2020 સુધી ખેડૂતો અરજી કરી શકે તે માટે ખુલ્લું મુકવાનું નક્કી થયેલ છે. આ મુજબ બાગાયત નિયામક દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
- text