ખાખરેચીમાં 19મીથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામમાં જળેશ્વર મહાદેવના મંદિરે વેગડવાવ ખીજડીયા ખીજડીયા હનુમાનજી મંદિરના લાભાર્થે આગામી તા. 19 થી 25 ફેબ્રુઆરી સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથા શ્રવણનો સમય સવારે 9 થી 12 વાગ્યા સુધી તથા બપોરે 2-30 થી 5-30 વાગ્યા સુધીનો રહેશે. કથાના વ્યાસપીઠ સ્થાનેથી શાસ્ત્રી દુષ્યંતભાઇ ડી. જોશી ભાવવાહી શેલીમાં ભાવિકોને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન બંને મંદિરોના મહંતો ઉપસ્થિત રહેશે. તેમજ તા. 21 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે શિવ વિવાહ પ્રસંગ ઉજવાશે. કથા દરમિયાન દરરોજ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. આ કથાનો લાભ લેવા માટે સંત રામચન્દ્રદાસજીએ ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવેલ છે.

- text