- text
માળીયા (મી.) : તાલુકાના લક્ષ્મીનગર ગામના સરપંચ જયદીપભાઈની સોનાની વીંટી કામકાજ દરમ્યાન ખોવાઈ ગઈ હતી. જે સરવર ગામના પૂર્વ સરપંચને મળતા મૂળ માલીક સુધી પહોંચાડી પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
- text
માળીયા મી.ના લક્ષ્મીનગર ગામના યુવા સરપંચ જયદીપભાઈની સોનાની વીંટી કામકાજ દરમ્યાન ક્યાંક પડી ગઈ હતી. ઘણી શોધખોળ કરવા છતાં વીંટી મળી ન હતી. ત્યારે જ સરવર ગામના પૂર્વ સરપંચ રવજીભાઈને આ વીંટી મળી આવી હતી. જેઓએ વીંટીના મૂળ માલીકની શોધખોળ આદરી હતી. આખરે વીંટીના મૂળ માલીક જયદીપભાઈ મળી આવતા વીંટી તેઓની જ છે તેની ખરાઈ કરી રવજીભાઈએ મૂળ માલીકને સોનાની વીંટી પરત કરતા વીંટી માલીક જયદીપભાઈએ પૂર્વ સરપંચની પ્રામાણિકતાને બિરદાવી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
- text