મચ્છુ ડેમ 1 ખાતે કેનાલ ચાલુ થતા બે દિવસ સુધી વાંકાનેરને અનિયમિત પાણી મળશે

- text


વાંકાનેર : મચ્છુ ડેમ 1 ખાતે કેનાલ ચાલુ કરાતા ઓછો પાણી પુરવઠો મળવાને કારણે વાંકાનેરને બે દિવસ સુધી ભર શિયાળે પાણી માટે ટળવળવું પડશે.

- text

વાંકાનેર પાલિકા દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર મચ્છુ ડેમ 1 ખાતે કેનાલ ચાલુ કરવામાં આવી હોવાથી કેનાલમાંથી વાંકાનેરની જરૂરિયાત મુજબનું પાણી ઉપાડી શકાય તેમ ન હોવાથી 2 દિવસ માટે શહેરને પાણીની અગવડતા વેઠવી પડશે. કેનાલમાં પાણીનું લેવલ થાય ત્યાં સુધી લગભગ બે દિવસ માટે રેગ્યુલર પાણી વિતરણ ન થઈ શકે કે પાણી ન મળી શકે તેવું બનવાજોગ હોવાનું જાણવા મળ્યું છે. એક અખબારી યાદીના વોટરવર્ક્સ સુપરવાઇઝર વાંકાનેર નગરપાલિકા દ્વારા આ સૂચના જારી કરાઈ છે.

- text