મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરદાર પટેલની જન્મજ્યંતીએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ

- text


મોરબી : દેશની એકતા અને અંખડીતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 144મી જન્મજ્યંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી નિમિત્ત પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા હોદ્દેદાર દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

- text