રાસંગપર ગામમાં આદ્રોજા પરિવારનું સ્નેહમિલન યોજાયું

- text


માળીયા (મી.) : રાસંગપર ગામમાં આદ્રોજા પરિવાર દ્વારા આજે તા. 31 ઓક્ટોબરના રોજ ગુરુવારે ‘એક નવા યુગની શરૂઆત’ નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્નેહમિલનની સાથે બાળકોની સ્પીચ, મહાદેવ સાહેબનું વક્તવ્ય, ઇનામ વિતરણ, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહાપ્રસાદ, શિલ્ડ, પાણી-લીંબુ શરબત, કાર્ડ-બેનર, દૂધ-ચા-કોફી માટે પ્રભુભાઈ છગનભાઇ (રાસંગપર), જગજીવનભાઇ હરખાભાઇ (ખાખરેચી), મધુભાઈ દેવજીભાઈ (બંધુનગર) સહિતના દાતાઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આદ્રોજા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

- text