જાંબુડિયા ગામમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી તાલુકામા આવેલ પ્રા.આ.કેન્દ્ર-લાલપરના પેટા આરોગ્ય કેન્દ્ર જાબુંડીયા ગામમાં ડો. હિરેન વાસદડિયાની સૂચના મુજબ જાબુંડીયા ગામની સગર્ભા બહેનોમાં વાહકજન્ય રોગચાળો ના ફેલાય તે માટે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને જાબુંડીયા ગામની સગર્ભાને જાબુંડીયા ગ્રામ પંચાયતના સભ્યોના હસ્તે દવાયુક્ત મચ્છરદાની આપવામાં આવી હતી. આ ઉપરાંત, આરોગ્ય કર્મચારી દ્વારા ઉપસ્થિત તમામ સગર્ભા બહેનો અને અન્ય લોકોને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવી હતી. તેમજ પશુ પાલકોને તથા ગ્રામજનોને કોંગો ફીવર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન આરોગ્ય કર્મચારી પ્રકાશભાઈ મકવાણા અને હિરલબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text