- text
આજે તળાવમાં ડૂબી ગયેલા બંને મૃતક બાળકોને હડમતિયાની સરકારી કુમારશાળાના છાત્રોઓ બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પી
હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે વિચરતી વિમુક્તજાતીના વાંઝા પરિવારના બે માસુમ પિતરાઈભાઈઓના તળાવના પાણીમાં ગરકાવ થતા મોત થવાની કરુણ ઘટનાથી હડમતીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
- text
ત્યારે આ ઘટનાના પગલે આજે ગામની હડમતિયાની સરકારી કુમારશાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજાએ આ બંને મૃતક બાળકો વાંઝા સુરેશ પ્રતાપભાઈ ઉં-૬ અને વાંઝા રવી તુતાભાઈ ઉં-૬ને શ્રદ્ધાંજલિ અર્પવા સ્કૂલમાં આચાર્યશ્રી અને તમામ સ્કુલના સ્ટાફે તેમજ બાળકોએ બે મિનીટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
- text