ટંકારાના લજાઈ ગામે પરણીતા પર દંપતિનો હુમલો

- text


ટંકારા : ટંકારના લજાઈ ગામે યુવતીને ફોનમાં મેસેજ કરવા બાબતે દંપતીએ પરિણીતા પર હુમલો કર્યાની તેમજ તેણીના પતિને આરોપીઓએ અટ્રોસીટી સહિતના ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

ટંકારાના લજાઈ ગામે રહેતા બીનાબા હરપાલસિંહ દરબાર ઉ.વ.24 નામની પરણીતાએ નટુભાઈ મનજીભાઈ મકવાણા અને તેની પત્ની સોમીબેન નટુભાઈ મકવાણા સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આ આરોપી દંપતીએ તેમના ઘરમાં પ્રવેશ કરી ભુટો ક્યાં છે તેમ કહી ફરિયાદીનું બાવણુ પકડી ખરાબ વ્યવહાર કરીને ધોકાથી માર માર્યો હતો.આથી તેમને દેકારો કરતા તેમના પતિ હરપાલસિંહ આવી જતા આરોપીઓએ તેમને કહ્યું કે, મારી દીકરીને ફોનમાં કેમ મેસેજ કરો છો તેમ કહી ગાળો આપી હવે મેસેજ કરશો તો મારી દીકરી આત્મહત્યા કરશે અને આત્મહત્યા અને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાનો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text