મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

- text


મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

- text

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા દનુંભા જાડેજાએ જણાવ્યું કે છેલ્લા 20 દિવસથી તેઓની ઘરની સામે ગટરનું પાણી ઉભરાઈ છે. આ પાણીમાં સેફટીનું પાણી પણ મિક્સ હોય અતિશય દુર્ગંધ આવે છે. નગરપાલિકાનો સ્ટાફ આજે આવીશું, કાલે આવશું તેવા ઉડાવ જવાબ આપે છે. કોઈ રોગચાળો ફેલાઈ તે પૂર્વે નગરપાલિકા આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ છે.

- text