જુના પાઠય પુસ્તકો ટંકારા પુસ્તક પરબને દાન આપવા અપીલ

- text


મોરબી: ટંકારામાં કાર્યરત પુસ્તક પરબ દ્વારા એક અનોખા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરીક્ષા પછી બીન ઉપયોગી પાઠય પુસ્તકોને પસ્તીમાં આપવાને બદલે આવા પુસ્તકો અન્ય બાળકોને ઉપયોગમાં આપી શકાય તેવા હેતુથી ટંકારા ખાતે કાર્યરત પુસ્તક પરબને દાનમાં આપવા અપીલ કરવામાં આવી છે.

- text

ટંકારા પુસ્તક પરબ દ્વારા લોકોને અનુરોધ કરતા જણાવાયું છે કે, ધોરણ 6 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓ પોતાના પુસ્તકો પુસ્તક પરબને દાન આપે જેથી આવતા સત્રમાં જરૂરિયાતમંદ બાળકો તેનો ફરીથી સરસ ઉપયોગ કરી શકે. તમારા બીન ઉપયોગી પુસ્તકો જરૂરીયાતમંદ લોકો માટે ખૂબ ઉપયોગી બને તેવા હેતુ સાથે પુસ્તકો દાનમાં આપવા અપીલ કરી છે. પુસ્તકોના દાન માટે કલ્પેશ ફેફર (8866441444), ગીતા સાંચલા(9537580555), ડૉ.નીપા મેંદપરા (9586061 166), હેતલ સોલંકી (9428570027), ધવલ દેસાઈ (9998637643) નંબરનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text