વિજયનગર (માણાબા) ખાતે 7 મે સુધી ભાગવત સપ્તાહનું આયોજન

- text


માળિયા (મિ.): સમસ્ત ગોપી મંડળ તેમજ ગ્રામજનો દ્વારા વિજયનગર (માણાબા) ગામે તારીખ 1 મે ને બુધવાર થી 7 મે ને મંગળવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ વિજયનગર (માણાબા) ગામે રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા ચાલી રહી છે. જેમાં દરરોજ સવારે 8:30 થી 12:30 સુધી ખાખરેચી વાળા શાસ્ત્રી દુષ્યંત મારાજ વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસ પણ કરાવી રહ્યા છે. આવતીકાલે તારીખ 6 મે ને સોમવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર પ્રકાશભાઈ ગોહિલ અને શંકરભાઈ વારેવડીયા સાજીંદા કશ્યપભાઈ એન્ડ ગ્રુપ સાથે ભજનની રમઝટ બોલાવશે. તો આ ભાગવત સપ્તાહ અને સંતવાણીનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text