મોરબીના રફાળેશ્વરમાં ઠાકર મંદિરે પાટોત્સવ સંપન્ન

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ગામમાં આજ રોજ ઠાકર મંદિર ખાતે પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામા ભાવિકોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો.

- text

રફાળેશ્વરના ઠાકર મંદિરને આજ રોજ એક વર્ષ પૂર્ણ થતા આજે આ પાટોત્સવ યોજાયો હતો. આ પાટોત્સવમાં યાજ્ઞિક વિધિ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ખોડાભાઈ તથા સમગ્ર ઠાકર ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text