ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

- text

આગામી તારીખ 10 મે ને શુક્રવારના રોજ વસંત માના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સવારે યજ્ઞ તેમજ શોભાયાત્રા નીકળશે. રાત્રે 9-30 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ભજનીક પ્રિતિબેન વાજા, પરેશ પ્રજાપતિ, હસમુખ ચાવડા અને લોક સાહિત્યકાર રામભાઈ દલવાડી હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં ધર્મ પ્રેમી જનતાને હાજરી આપવા આમંત્રણ પાઠવયું છે.

- text