Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

- text


Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે.

આ સેવાકીય પ્રવૃતિના ભાગરૂપે જ આજે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની સિવિલ હોસ્પીટલ ખાતે ૪૦ જેટલી પ્રસુતાઓને ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરવામાં આવ્યો હતો.

- text

આ પ્રેરક કાર્યમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળના વંદનાબેન ઘેલાણી, રીનાબેન ચૌહાણ, ટીશાબેન ચૌહાણ, મંજુલાબેન સહીતના અગ્રણીઓ તેમજ સારથી કૌશલભાઈ જાની જોડાયા હતા. ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથના માધ્યમ થી મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતાઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને સેવા પ્રદાન કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદીમાં નિર્મિત કક્કડ, પ્રમુખ, શ્રી જલારામ સેવા મંડળ, મોરબીએ જણાવ્યું છે.

- text