વાંકાનેર : મનગમતી સરકારી નોકરી ન મળતા વીંછીયાના યુવાનનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામ નજીક ટ્રેન હેઠળ ઝપલાવીને વીંછીયાના યુવાને આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને મનગમતી સરકારી નોકરી ન મળતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરવી પડતી હોય પણ તેમાં યોગ્ય વળતર ન મળતા તેણે આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વીંછીયાના શિવાજીપરામાં રહેતા વિપુલભાઈ વજુભાઇ રાજપરા ઉ.વ.25 નામના યુવાને ગઈકાલે વાંકાનેરના તિથવા ગામે આવેલ રેલવે લાઇન પર પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે.મૃતક યુવાને મનગમતી સરકારી નોકરી મળી ન હતી.એટલે ખાનગી સ્કૂલમાં નોકરી કરવી પડતી હતી પરંતુ તેમાં જરૂરિયાત મુજબ સફળ નહીં થતા લાગી આવતા તેણે આપઘાત કરી લીધો હતો.પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

Man committing suicide by hanging, drinking pesticide, cutting wrist, gun into mouth, jumping from building, drug overdose, drowning, sleeping in the car with engine on, and jumping to the railway to be hit by train.

 

- text