ટંકારાના જબલપુર ગામે રાત્રીસભા યોજતા જિલ્લા કલેકટર

- text


સ્થાનિક અધિકારીઓ સાથે લોકોના પ્રશ્નો રજૂઆતો સાંભળ્યા : પ્રશ્નો હલ થાય તે જરૂરી

ટંકારા : ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકાર દ્વારા ગ્રામયકક્ષાએ રાત્રીસભા યોજવા આપેલ સુચનાને પગલે ગઈકાલે જિલ્લા કેલકટર મોરબી દ્વારા ટંકારાના જબલપુર ગામે રાત્રી સભા યોજવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ ગત રાત્રે જીલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કેલકટર આર.જે.માકડીયાએ ટંકારાના જબલપુર ગામે રાત્રીસભા યોજી લોકોને પડતી મુશ્કેલી અને તાબાના અધીકારીની આવડત સહીતની બાબતો અંગે ગ્રામજનો પાસેથી જાત માહિતી મેળવી હતીઅને સમસ્યાનું સમાધાન થાય એ હેતુ થી લગત તંત્ર નુ ધ્યાન દોર્યું હતું

આ તકે ગામ ના સરપંચ કિશોરભાઈ, મામલતદાર પંડયા તલાટી સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગામલોકો આ ગ્રામસભામાં જોડાયા હતા.

- text

મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

 

- text