હળવદના રણમલપુર ગામે ગ્રામસભાનો બહિષ્કાર કરતા ગ્રામજનો

- text


 

ગામમાં કાયમી તલાટી ન મુકાતા ગ્રામજનોએ ગ્રામસભાનો કર્યો બહિષ્કાર

હળવદ : ગઈકાલે હળવદ તાલુકાના રણમલપુર ગામે ગ્રામસભાનું આયોજન કરાયું હતું પરંતુ ગામમાં તલાટીમંત્રીની જગ્યા ભરવામાં ન આવતી હોવાથી ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જ્યારે બીજી તરફ સરપંચ સમગ્ર કાર્યક્રમથી અજાણ હોવાનું જણાવી પોતાનો લુલો બચાવ કર્યો હતો.

ગ્રામજનોના પ્રશ્નો તંત્ર સુધી પહોંચે અને ગ્રામ્ય વિસ્તારનો સાચી દિશામાં વિકાસ થાય તેવા હેતુ સાથે ગ્રામસભાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગઈકાલે હળવદ તાલુકાના રણમલપુર ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું પરંતુ ગામમાં છેલ્લા ઘણા સમયથી કાયમી તલાટીમંત્રીની જગ્યા ન ભરાતા અને હાલ ઇન્ચાર્જ તલાટી દ્વારા કામ ચલાવાતુ હોવાથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને કાયમી તલાટીની જગ્યા ભરવા માંગ કરી હતી.

- text

તો સાથોસાથ રણમલપુરના ગ્રામજનો દ્વારા ગામમાં કાયમી તલાટી મુકવાની માંગ સાથે આજે યોજાનાર ગ્રામ સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો જ્યારે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને રણમલપુર ગ્રામ પંચાયતના લેટરપેડ પર રજૂઆત કરવામાં પણ આવી હતી. આ અંગે ગામના સરપંચ જાગૃતીબેન અમૃતભાઈ વામજાનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે મે કયાય રજૂઆત કરી નથી અને જે લેટરપેડમાં સહી કરવામાં આવી છે એ પણ મારી નથી તેમ કહી પોતાનો બચાવ કરીને છટકી ગયા હતા. તો સવાલ એ થાય છે કે ગ્રામજનોની રજૂઆતમાં પણ સરપંચ સાથ નથી દેતા કે શું ? સરપંચને ગામનો વિકાસ કરવો છે કે નહીં ? જેવા અનેક સવાલો અહીં ઉઠવા પામ્યા છે.

મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

- text