ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સોમવારે મહારેલી

- text


ટંકારા તાલુકાના સરપંચોની સર્કિટ હાઉસ ખાતે મિટીંગમાં લેવાયો નિર્ણય

ટંકારા : રાજ્ય સરકાર દ્વારા મોરબીના માળીયા, હળવદ અને વાંકાનેર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની જાહેરાત કરી ટંકારાની બાદબાકી કરી દેવાતા આજે ટંકારા તાલુકાના સરપંચોની અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં સોમવારે મહારેલી યોજી ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠાવવામાં આવશે.

ઓણ સાલ અપૂરતા વરસાદ છતાં મોરબી જિલ્લાના ફક્ત ત્રણ તાલુકાઓને જ સરકારે અછતગ્રસ્ત જાહેર કરી ટંકારાને અન્યાય કરતા આજરોજ ટંકારા તાલુકાના સરપંચ એસોશિએશનની મહત્વની બેઠક સરકીટ હાઉસ ખાતે મળી હતી જેમાં ટંકારાની સ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો અને અપૂરતા તથા છુટાછવાયા વરસાદને કારણે ખેડૂતોને બી બિયારણના પૈસા પણ માથે પડ્યા હોય ટંકારા તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાં એક સુરે અવાજ ઉઠ્યો હતો.

- text

હાલમાં ટંકારા તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણી, પશુઓ માટે ઘાસચારાની સ્થિતિ અત્યંત ખરાબ છે અને ખેડૂતો પાયમાલ થવાને આરે છે ત્યારે ન્યાય મેળવવા સોમવારે મહારેલી યોજવા નક્કી કરાયું હતું.

વધુમાં સોમવારે ટંકારા તાલુકાના ૪૫ ગામના ખેડૂત અગ્રણીઓ અને સરપંચો તથા હોદેદારો મળી મહારેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text