રાતીદેવડી ગામે છેલ્લા બે મહિનામાં ૧૮ ખુંટીયાના શંકાસ્પદ મોત

- text


રાતીદેવડી ગામે આજે વધુ બે ખુંટીયાના શંકાસ્પદ મોત, સરપંચે પોલીસને ફરિયાદ કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે છેલ્લા બે મહિનાથી શંકાસ્પદ રીતે 18 ખુંટીયાના મોતથી ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. ગામલોકોના જણાવ્યા મુજબ બે-ચાર દિવસે એક બે ખુંટીયાના શંકાસ્પદ મોત થઇ રહ્યા છે અમને શંકા છે કે આ રેઢિયાળ ખુંટીયાને ખાવામાં કાંઈ શંકાસ્પદ વસ્તુ આપવામાં આવતી હોય એવું બની શકે અને છેલ્લા બે મહિના દરમિયાન અઢાર ખુંટીયાના મોતથી આ શંકા વધુ મજબૂત બની છે.

- text

ગામના સરપંચ દિલીપસિંહ ઝાલાએ આ બે ખુંટીયાના મોતની તપાસ માટે સિટી પોલીસ સ્ટેશને અરજી કરેલ છે અને અરજીના અનુસંધાને પોલીસ દ્વારા પશુ ડૉક્ટર પાસે ખુંટીયાને પી.એમ. કરવાની તજવીજ હાથ ધરાઈ છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે.

- text