મોરબીથી અંબાજી સુધી પદયાત્રાનો પ્રારંભ

- text


અંબિકા પદયાત્રા સંઘ દ્વારા આયોજન : મોરબી – રાજકોટના ૧૬૦ પદયાત્રિકોનો સંઘ રવાના

મોરબી : જગત જનની માં અંબાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા મોરબીથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરતા રાજકોટ મોરબીના કુલ ૧૬૦ પદયાત્રિકો આજે મોરબીથી માં અંબાજીના ધામ રવાના થયા હતા.

- text

મોરબીના મા અંબિકા પદયાત્રા સંઘ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી મોરબીથી અંબાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે મોરબીથી ૧૬૦ પડયાત્રીઓએ અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું જેના ૨૦ વર્ષથી લઈ ૬૫ વર્ષના વૃદ્ધ સહિતના ભાવિકો જોડાયા હતા.

મોરબીથી રવાના થયેલ ૧૬૦ પદયાત્રિકો આગામી તા. ૨૨ ના રોજ માં અંબાજીના દરબારમાં પહોંચી શ્રદ્ધા પૂર્વક માતાને વંદન કરશે આ યાત્રા સંઘમાં રાજકોટના ૨૬ યાત્રિકો પણ જોડાયા છે

- text