માળીયા નજીક છોટા હાથીનું ટાયર ફાટતા ત્રણ ના મોત : ૧૧ ઘાયલ

- text


ગાંધીધમથી મામેરું દઈ સુરેન્દ્રનગર પરત જઇ રહેલા મુસ્લિમ પરિવારને નડ્યો અકસ્માત

મોરબી : માળીયા નજીક આજે વહેલી સવારે છોટા હાથીમાં ગાંધીધામથી મામેરું દઈ સુરેન્દ્રનગર પરત જઈ રહેલા મુસ્લિમ પરિવારને અકસ્માત નડતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ૧૧ વ્યક્તિને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે સુરેન્દ્રનગરનો મુસ્લિમ પરિવાર છોટાહાથી વાહનમાં ગાંધીધામથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે   માળિયાના હરિપર નજીક અચાનક જ છોટાહાથીનું ટાયર ફાટતા વાહન ડિવાઈડર પર ચડી જઇ પલટી મારી ગયું હતું.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે છોટાહાથીમાં સવાર સમલીબેન ઇસ્માઇલભાઈ આમદાણી,ઉ.૧૮ રે.સુરેન્દ્રનગર તથા સલીમ ઇસભાઈ ભટ્ટી, ઉ.૨૫, રે. હાઉસિંગ બોર્ડ ધ્રાંગધ્રાવાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બચુબેન ઇસ્માઇલ ભાઈ રે.સુરેન્દ્રનગર વાળાનું મોરબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃત્યુઆક ત્રણ થયો હતો.

- text

વધુમાં માળીયાના હરિપર ગોળાઈ નજીક છોટા હાથી પલટી જવાને કારણે બે વ્યક્તિના મોત થવાની સાથે સાથે ૧૧ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં ઇજા પામેલાઓમાં નાગોરી સીદીકભાઈ મોવર, નિલેશ આદોદારીયા, રહીમ ઇસાભાઈ ભટ્ટી, રે.ધ્રાંગધ્રા, લાયમાં, રે. સુરેન્દ્રનગર, સાનિયા અલ્લારખા, રે.વિદરકા, શેરબાનું અયુબભાઇ, અયુબભાઇ ઇસ્માઇલ, ઇમરાન સામનાણી, કુલસુમ સંઘવાણી,રે. સુરેન્દ્રનગર, હિતેશ નકુમ રે.ધ્રાંગધ્રા, સાનિયા સંઘવાણી,રે.વિદરકા, ઝુંબેદા ગિલાભાઈ, રે. માળીયા, નસીમાબેન અલરખા સંઘવાણી, વિદરકા, અફસાના યુનુસભાઈ ભટ્ટી, રે.સુરેન્દ્રનગર, જન્મતબેન જુસબભાઈ ભટ્ટી, રે. ધ્રાંગધ્રા ને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

- text