વાંકાનેર : ઘરકામ મુદ્દે પતિ, સાસુ અને સસરા ત્રાસ આપતા હોવાની પરિણીતાની રાવ

- text


મોરબી : વાંકાનેરમાં રહેતી પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ઘરકામ મુદ્દે માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારતા હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેરના દિગ્વિજયનગરના રહેવાસી કિંજલબેન અરૂણભાઈ સોલંકી એ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ અરુણભાઈ સોલંકી, સસરા મનસુખભાઈ ખાનાભાઇ સોલંકી અને સાસુ દિવાળીબેન મનસુખભાઈ સોલંકી રહે ત્રણેય હાલ મોરબી લાલબાગ સરકારી વસાહતવાળાએ ફરિયાદીને કામકાજ બાબતે અવારનવાર ઝઘડો કરીને માર મારી મ્હેણાં ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાનું જણાવ્યું છે. મહિલા અત્યાચાર અંગે મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

- text