ટંકારા મામલતદાર કચેરીમાં પાણી ભરાયા : અરજદારોને હાલાકી

- text


ટંકારા : ટંકારામા કોઈ પણ જગ્યા પર વરસાદના કારણે કોઈ સમસ્યા થાય અને તેને નિપટાવ્વા માટે જે કચેરી રાત દિવસ ધમધમી રહી છે એ જ કચેરીમાં હાલ પાણી ભરાઈ જવાથી કચેરીનું મેદાન તલાવડાના રૂપે ફેરવાઈ ગયુ હોય કામકાજ અર્થે આવતા અરજદારો ને રીતસર પાણી વચ્ચે થી પસાર થવુ પડે છે.
વરસાદ રહી ગયાને કલાકો બાદ પણ ખુદ મામલતદાર કચેરીમાં પાણી ઓસરતુ ન હોય તો શહેરમાં શુ હાલત હશે તે વિચાર માગી લે છે. ભરાયેલા પાણીમા મચ્છર નો ઉપદ્રવ પણ વધી શકે પંરતુ લગત તંત્ર ને તો જાણે કોઈ ફેર પડતો ન હોય તેમ લાગે છે
તાલુકાના વડા જયા બેસ્તા હોય ત્યા જ પાણી ભરવાની વરવી સ્થતિ સર્જાઈ છે. આ અંગે કચેરી નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે ખિજડીયા ચોકડી ના પાણી નો નિકાલ બ્લોક થઈ ગયો છે અને પિડબલ્યુડીને કલેકટર દ્વારા રૂબરૂ સુચના આપી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી હોય તેવો આરોપ સાંભળવા મળ્યો હતો.

- text

 

- text