વાંકાનેરના કોઠારીયા ગામે મોરબી PSIના ભાઈની હત્યા

- text


વાંકાનેર : મોરબીમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. એમ.પી.ચાવડા ના ભાઈ સતિષભાઈ ચાવડા પર વાંકાનેરના કોઠારીયા ગામે બે શખ્સોએ હુમલો કરી માર મારતા તેમનું સારવાર દરમિયાન મુત્યુ નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ હત્યાના બનાવની તપાસ શરૂ કરી છે.

- text

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ કોઠારીયા ગામે રહેતા ખેડૂત સતિષભાઈ પરષોત્તમભાઈ ચાવડા (ઉ.35) પર આજે સવારે ગામ ની સીમમાં તેમના પર બે શખ્સોએ હુમલો કરી ઢોર માર મારતાં તેમને ગંભીર હાલત માં દવાખાને સારવારમાં ખસેડવા માં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. વાંકાનેર તાલુકા PSI જાડેજા, મોરબી DYSP કે.બી.ઝાલા, વાંકાનેર CPI એલ.એલ.ભટ્ટ સહિતના પોલીસ અધિકારીઓ હાલ હોસ્પિટલે દોડી જઇ હુમલાખોરો સામે હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. તેમજ ક્યાં કારણસર હત્યા થઈ તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. જેની હત્યા થઈ છે તે સતિષભાઈ મોરબી જિલ્લાના કંટ્રોલરૂમ માં ફરજ બજાવતા પી.એસ.આઈ. એમ.પી.ચાવડા ના ભાઈ થાય છે.

મોરબી જિલ્લામાં હાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. હત્યા જેવા બનાવો મોરબી જિલ્લામાં આમ ઘટનાની જેમ બની રહ્યા છે.

- text