વાંકાનેરના માટેલમાં સીરામીક ફેકટરીમાં ગેસ લીકેજથી દાઝેલા શ્રમિકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ ક્રેવીટા (ક્રેસ્ટોના) સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં ગત તા.9ના રોજ ગેસ લીકેજ બાદ આગ લાગતા પાંચ શ્રમિક દાઝી જતા બે શ્રમિકને વાંકાનેર અને ત્રણ શ્રમિકને રાજકોટ સારવારમાં દાખલ કરવામા આવ્યા હતા જે પૈકી મધ્યપ્રદેશના વતની આશિષ પ્રેમલાલ બંજારા ઉ.20 નામના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text