ખાખરેચી મિત્ર મંડળ દ્વારા 551 દીપ પ્રગટાવી રામોત્સવની ઉજવણી કરી 

- text


મોરબી : અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત મોરબીના ખાખરેચી મિત્ર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 551 દીપ પ્રગટાવવામાં આવ્યા હતા તેમજ બટુક ભોજન, મહાઆરતી, ચકલાને ચણ, ઘાસચારો જેવાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં વડોદરામાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોની આત્માની શાંતિ અર્થે મૌન પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ખાખરેચી મિત્ર

- text

મંડળ, ખાદી વસાહત પ્લોટ તથા માં મંડપ સર્વિસ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. હતો.

- text