- text
મોરબી : નવયુગ કોલેજના એમ.બી.એ, બી.એડ્, અને નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે મોરબી શહેર અને આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ચિક્કી, તલ અને મમરાના લાડુ જેવા શિયાળાના પોષણવર્ધક વસાણાનું વિતરણ તેમજ બી.એસ.સીના વિદ્યાર્થીઓએ બટાકાપૌંઆનો નાસ્તો કરાવ્યો હતો.
તહેવારને અનુરૂપ બાળકોને મનપસંદ નાસ્તો મેળવીને બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. આ આયોજન સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શનથી કોલેજના હેડ સતીષ વોરા, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવીને સફ્ળ બનાવ્યું હતું.
- text
- text