- text
હળવદ : સ્વ. હસુમતીબેન મણીલાલ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પાટિયા ગ્રુપ, ધર્મપ્રેમી સેવા મંડળ અને શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરના ઉપક્રમે આવતીકાલે તારીખ 31 ડિસેમ્બર ને રવિવારના રોજ હળવદમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
આવતીકાલે 31 ડિસેમ્બરે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી હળવદમાં આવેલા શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાશે. આ કેમ્પ માં સી.યુ.શાહ મેડિકલ કોલેજના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. જેમાં હૃદય રોગના નિષ્ણાત ડો. હેમલ ઠકકર, વા અને સંધિવાના નિષ્ણાત ડો. શ્યામ શાહ, એમ.ડી મેડિસન ડો. સુમિત જાદવ, ડો. કૃપાલ જે. ભોજાણી, સર્જન ડો. જીગ્નેશ કાવર, હાડકાના ડો. વરુણ મોદી, ચામડીના ડો. જુબીન શાહ, સ્ત્રીરોગ નિષ્ણાત ડો. યશ ભાનુશાલી, આંખના ડો. ચૈતાલી ચૌધરી અને ડો. મિરાજ પંચાલ સહિત નિષ્ણાત ડોક્ટરો પોતાની સેવા આપશે અને આ કેમ્પમાં આવનાર દર્દી નારાયણની સચોટ તપાસ કરી આપશે અને હાજર હશે તે દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. તો હળવદ તુલકા તેમજ આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને આ કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.
- text