મોરબીના બંધુનગર ગામે બહુચરાજી માતાજીનો નવમો પાટોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામે આગામી તારીખ 14 મેના રોજ દલસાણીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરાયું છે.

મોરબીના બંધુનગર ગામે બહુચરાજી માતાજીના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 14 મેના રોજ સવારે 7 કલાકેથી યોજાનાર નવચંડી મહાયજ્ઞમાં આચાર્ય પદે મહામહોપાધ્યાય જિજ્ઞેશભાઈ પંડ્યા બિરાજશે. બપોરે 1 કલાકે બીડું હોમવામાં આવશે. બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાર્ષિક પાટોત્સવ પ્રસંગે 13 મેના રોજ રાત્રે 9 કલાકે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text