મોરબી તાલુકા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધામાં શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય પ્રથમ

- text


મોરબી : મોરબી તાલુકા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા સરસ્વતી શિશુ મંદિર – શકત શનાળા ખાતે તા. 23 ડિસેમ્બરના રોજ યોજાયેલી હતી. જેમાં વિભાગ (ક) 41 વર્ષથી ઉપરના ભાઈઓની સ્પર્ધામાં શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ તરશીભાઈ મારવણીયા એ પ્રથમ નંબર મેળવી શકત શનાળા પ્લોટ શાળા,ગામ તથા મોરબી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. હવે હર્ષદભાઈ મારવણીયા તા.૨૬ ડિસેમ્બરના રોજ નવજીવનવિદ્યાલય – મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા જશે.

- text

- text