મોરબીમાં સોફા ઉપરથી બેભાન હાલતમાં નીચે પડેલા યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામાં રહેતો યુવાન પાંચેક દિવસ પૂર્વે પોતાના ઘેર સોફામાં સૂતો હતો ત્યારે અચાનક બેભાન હાલતમાં સોફા ઉપરથી નીચે પડતા સારવારમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડીરોડ ઉપર ભગવતીપરામાં રહેતા હિરેનભાઇ પ્રવીણભાઇ નાગર ઉ.36 ગત તા.25ના રોજ પોતાના ઘેર સોફા ઉપર સુતા હતા ત્યારે અચાનક બેભાન બની સોફા ઉપરથી નીચે પડતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા તા.28ના રોજ રાત્રીના તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text