મોરબીના જડેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા તા.29મીએ મહાદુર્ગા પૂજા મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડના જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ- મોરબી દ્વારા આગામી તારીખ 29 ઓક્ટોબર ને રવિવારના રોજ મહાદુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 29 ઓક્ટોબરના રોજ જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ- મોરબી દ્વારા સાંજે 5 કલાકે મહાદુર્ગા પૂજા મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં મોરબીની 2 થી 12 વર્ષની દીકરીઓ ભાગ લઈ શકશે અને દુર્ગા પૂજાની સાથે સાથે રાસ – ગરબા પણ રમાડવામાં આવશે. ત્યારબાદ દીકરીઓ માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ છે. જે દીકરીઓએ આ દુર્ગા પૂજા મહોત્સવમાં ભાગ લેવો હોય તેઓએ જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટની ઓફિસે સવારે 9 થી બપોરે 12 અને સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી શુક્રવાર સુધીમાં નામ નોંધણી કરાવી લેવી. વધુ માહિતી માટે મો.નં. 99747 68005 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text